GU/Prabhupada 0153 - વ્યક્તિના સાહિત્યના યોગદાનથી તેની બુદ્ધિ મપાય છે
Interview with Newsweek -- July 14, 1976, New York
પ્રશ્નકર્તા:શું તમે બતાવેલા ત્રણ કાર્યો-આહાર,નિદ્રા અને મૈથુન વિષે વધારે સમજાવી શકો છો, અને વિશેષ કરીને બોલો,કે તમે લોકોને શું નિયમ કે સૂચના આપી શકશો? જે લોકો આધ્યાત્મિક પ્રકાશની ખોજમાં છે તેમના જીવનને આ રીતે મદદ કરવા માટે. પ્રભુપાદ:હા,હા,તે અમારા પુસ્તક છે.તે અમારા પુસ્તક છે. અમારા પાસે ઘણી વિષય વસ્તુ છે સમજવા માટે.તે એવી વસ્તુ નથી કે તમે એક મિનટમાં સમજશો. પ્રશ્નકર્તા:મને જાણમાં આવ્યું છે કે તમે ખુબ ઓછુ સુઓ છો.તમે ત્રણ કે ચાર કલાક સુઓ છો રાત્રે. શું તમને એમ લાગે છે કે જે પણ વ્યક્તિ આધ્યાત્મિક રીતે ઉન્નત છે,તેને પણ આ સાક્ષાત્કાર કરવો પડશે? પ્રભુપાદ:હા,અમે જુએ છે ગોસ્વામીયોના આચરણ થી. વાસ્તવમાં તેમને કોઈ ભૌતિક જરૂરતો ન હતા. આ આહાર,નિદ્રા,ભય અને મૈથુન,વાસ્તવિક રૂપે તેમના જીવનમાં એમ કઈ ન હતું. તે માત્ર કૃષ્ણની સેવામાં સંલગ્ન છે. પ્રશ્નકર્તા:શું વસ્તુમાં યુક્ત હતા?રામેશ્વર:કૃષ્ણની સેવા કે ભગવાનની સેવા. બલિ-મર્દન:તે પૂર્વ આચાર્યોનો ઉદાહરણ આપે છે. પ્રશ્નકર્તા:સારું,હવે હું જિજ્ઞાસુ હતો કેમ... તેમને ત્રણ કે ચાર કલાક સુવા માટે જરૂરતનો સમય કેમ લાગ્યો હતો? બલિ-મર્દન:બીજા શબ્દો માં,કેમ...તે પૂછે છે કે કેમ તમે ત્રણ કે ચાર કલાક તમે સુઓ છો. તમે તે સ્તર ઉપર કેવી રીતે પોહોચ્યા? પ્રભુપાદ:તે કૃત્રિમ રીતે નથી.જ્યારે તમે વધારે પડતો આધ્યાત્મિક કાર્યોમાં યુક્ત થશો, વધારે તમે ભૌતિક કાર્યોથી મુક્ત થશો.તે પરીક્ષા છે. પ્રશ્નકર્તા:અને તેથી તમે પોહોચ્યા છો... પ્રભુપાદ:નહિ,હું મારા વિષે નથી કેહતો,તે પરીક્ષા છે. ભક્તિહ પરેશાનુભાવો વિરક્તિર અન્યત્ર સ્યાત(શ્રી.ભાગ.૧૧.૨.૪૨) જો તમે ભક્તિ,આધ્યાત્મિક જીવનમાં,આગળ વધશો,ત્યારે તમે ભૌતિક જીવનમાં વિરક્ત થશો. પ્રશ્નકર્તા:શું તમને લાગે છે કે દુનિયાના વિવિધ લોકોમાં કોઈ અંતર છે? બીજા શબ્દો માં,શું તમે વિચારો છો કે ભારતીય લોકો યુરોપી લોકોના અપેક્ષામાં વધારે સંભવ છે કે કૃષ્ણ ભાવનામૃતનો પાલન કરી શકે છે? પ્રભુપાદ:નહિ,કોઈ પણ બુદ્ધિશાળી વ્યક્તિ કૃષ્ણ ભાવનાભાવિત બની શકે છે. તે મેં પેહલા પણ સમજાવ્યું છે,જ્યાર સુધી વ્યક્તિ ખુબજ બુદ્ધિશાળી નથી,ત્યાર સુધી તે કૃષ્ણ ભાવનાભાવિત નથી બની શકતો. તો તે બધા માટે ખૂલું છે. પણ વિવિધ પ્રકારના/સ્તરના બુદ્ધિ છે. યુરોપમાં,અમેરિકામાં,તે બુદ્ધિશાળી છે,પણ તેમની બુદ્ધિ ભૌતિક હેતુ માટે વપરાયેલ છે. અને ભારતમાં તેમની બુદ્ધિ આધ્યાત્મિક હેતુ માટે વપરાવામાં આવ્યું છે. તેથી તમને મળશે કેટલા ઉચ્ચ આધ્યાત્મિક સ્તરના જીવન,પુસ્તકો,ગ્રંથો. જેમ કે વ્યાસદેવ.વ્યાસદેવ પણ ગૃહસ્થ જીવનમાં હતા. પણ તે વનમાં રેહતા હતા,અને તમે સાહિત્યમાં તેમનો ફાળો જુઓ. કોઈ પણ સ્વપ્ન પણ નથી કરી શકતા.તો સાહિત્યમાં ફાળાથી,વ્યક્તિની બુદ્ધિની પરીક્ષા થાય છે. આ ભૌતિક જગતના બધા મોટા,મોટા લોકો,વૈજ્ઞાનિક,તાત્ત્વગ્યાનીયો,અને તંત્રગ્ય પણ, તે તેમના લેખો દ્વારા,તેમના સાહિત્યના ફાળાથી જણાય છે,તેમના વિશાળ કાયાથી નહિ.