GU/Prabhupada 0004 - કોઈ વ્યર્થ વ્યક્તિને શરણાગત ના થાઓ

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


Lecture on BG 10.2-3 -- New York, January 1, 1967

વિધિ છે.... તે પણ ભગવદ ગીતામાં ઉલ્લેખિત છે. તદ વિદ્ધિ પ્રણિપાતેન પરીપ્રશ્નેન સેવયા (ભ.ગી. ૪.૩૪). જો તમારે આ દિવ્ય વિજ્ઞાનને સમજવું છે, તો તમારે આ સિદ્ધાંતનું પાલન કરવું પડશે. તે શું છે? તદ વિદ્ધિ પ્રણિપાતેન. તમારે શરણાગત થવું પડશે. તે જ વસ્તુ: જેમ કે નમંત એવ. જ્યા સુધી તમે વિનમ્ર નહી બનો, ત્યા સુધી તમે એક શરણાગત આત્મા ના બની શકો. અને ક્યાં? પ્રણિપાત. ક્યાં તમને એવો વ્યક્તિ મળશે જે "તે છે... અહી એવો વ્યક્તિ છે જેને હું શરણાગત થઇ શકું?" તો પછી તેનો અર્થ છે કે તમારે થોડું પરીક્ષણ કરવું પડશે કે ક્યાં શરણાગતિ કરવી. આટલું જ્ઞાન તો તમને હોવું જ જોઈએ. કોઈ નિરર્થક વ્યક્તિ ને શરણાગત ના થાઓ. તમારે કરવું જ પડશે... અને કેવી રીતે તે બુદ્ધિમાન છે કે નિરર્થક છે તે તમે જાણી શકશો? એ પણ શાસ્ત્ર માં આપેલું છે. તેનું વર્ણન કઠ ઉપનિષદ માં થયું છે. તદ વિદ્ધિ પ્રણિપાતેન પરી... (ભ.ગી. ૪.૩૪). કઠ ઉપનિષદ કહે છે કે તદ વિજ્ઞાનાર્થમ સ ગુરુમ એવાભીગચ્છેત શ્રોત્રિયમ બ્રહ્મ નિષ્ઠમ [મુ.ઉ. ૧.૨.૧૨]. આ શ્રોત્રિયમ એટલે તે કે જે ગુરુ શિષ્ય પરંપરામાં આવે છે. અને શું સાબિતી છે કે તે પરંપરામાં આવે છે? બ્રહ્મ નિષ્ઠમ. બ્રહ્મ નિષ્ઠમનો અર્થ છે કે પરમ નિરપેક્ષ સત્ય વિષે સંપૂર્ણપણે આશ્વસ્ત છે. તો તમારે ત્યાં શરણાગત થવું જોઈએ. પ્રણિપાત. પ્રણિપાત એટલે પ્રકૃષ્ટ રુપેણ નીપાતમ, કોઈ સંશય વગર.

તમને કોઈ એવો વ્યક્તિ મળે, તો શરણાગતિ કરો. પ્રણિપાત. અને પ્રયત્ન કરો તેમની સેવા કરવાનો, તેમને પ્રસન્ન કરવાનો, અને તેમને પ્રશ્ન પૂછો. પછી આખી વસ્તુનો સાક્ષાત્કાર તમને થશે. તમે આવા એક અધિકારી વ્યક્તિને શોધવા જ પડે અને તેમને શરણાગત થવું જ પડે. તેમને શરણાગત થવાનો મતલબ છે ભગવાનને શરણાગત થવું કારણકે તેઓ ભગવાનના પ્રતિનિધિ છે. પણ તમે પ્રશ્ન પૂછી શકો, સમય બગાડવા માટે નહીં, પણ સમજવા માટે. તેને પરિપ્રશ્ન કેહવાય છે. આ વિધિઓ છે. તો બધુ જ છે. આપણે માત્ર તેને અપનાવવાનું છે. પણ જો આપણે આ વિધિને ના અપનાવીએ અને માત્ર નશો કરીને આપણો સમય વ્યર્થ કરીએ અને તર્ક-વિતર્ક અને બધા વ્યર્થ કાર્યો કરીએ, ઓહ, તે ક્યારેય શક્ય નથી. તમે ક્યારેય સમજશો નહીં કે ભગવાન શું છે. કારણકે ભગવાન દેવતાઓ તથા મહાન ઋષિઓની સમજથી પણ બહાર છે. તમારા તુચ્છ પ્રયત્નોનું શું મૂલ્ય છે?

તો આ વિધિઓ છે. અને જો તમે તેનું પાલન કરશો, અસમ્મૂઢ:, અસમ્મૂઢ:, જો તમે સિદ્ધાંતોનું પાલન કરશો અને ધીમે ધીમે પણ ચોક્કસ, અસમ્મૂઢ, કોઈ સંશય વગર, તમે કરશો.. તે છે.. પ્રત્યક્ષાવગમ્યમ ધર્મ્યમ. જો તમે પાલન કરશો, તો તમે તમારી જાતે સમજશો, "હા, મને કઈક મળી રહ્યું છે." એવું નથી કે તમે અંધાપામાં છો, તમે આંધળું અનુકરણ કરી રહ્યા છો. જેમ તમે નિયમોનું પાલન કરશો, તમે સમજશો.

જેમ કે જો તમે યોગ્ય પૌષ્ટિક આહાર ખાશો, તો તમને લાગશે કે તમને શક્તિ મળી છે અને તમારી ભૂખ તૃપ્ત થશે. તમારે કોઈને પૂછવું ના પડે. તમે જાતે જ અનુભવ કરશો. તેવી જ રીતે, તમે સાચા માર્ગ ઉપર આવશો અને તમે નિયમોનું પાલન કરશો, તો તમે સમજશો, "હા, હું પ્રગતિ કરી રહ્યો છું." પ્રત્યક્ષ... નવમાં અધ્યાયમાં ભગવાને કહ્યું છે.. પ્રત્યક્ષાવગમ્યમ ધર્મ્યમ સુસુખમ.

અને તે બહુ સરળ છે. અને તમે તે આનંદથી કરી શકો છો. અને તે વિધિ શું છે? આપણે હરે કૃષ્ણનો જપ કરીએ અને કૃષ્ણપ્રસાદ ગ્રહણ કરીએ અને ભગવદ ગીતાના તત્વજ્ઞાનનો અભ્યાસ કરીએ, સુંદર સંગીતને સાંભળીએ. શું તે બહુ મુશ્કેલ છે? શું તે બહુ મુશ્કેલ છે? બિલકુલ નહીં. તો આ વિધિથી તમે અસમ્મુઢ: બનશો. તમને કોઈ પણ છેતરી નહીં શકે. પણ જો તમારે છેતરાવું છે તો ઘણા બધા ઢોંગીઓ છે. તો ઠગો અને ઠગાઈ ગયેલા લોકોઓનો સમાજ ના બનાવો. માત્ર વેદિક શાસ્ત્રોમાં વર્ણિત અને કૃષ્ણ દ્વારા ભલામણ કરાયેલી પરંપરા વિધિનું પાલન કરો. અધિકૃત સ્ત્રોતથી તેને સમજવાનો પ્રયાસ કરો અને તમારા જીવનમાં તેને અમલ કરવાનો પ્રયાસ કરો.

પછી અસમ્મૂઢ: સ મર્ત્યેષુ. મર્ત્યેષુ મતલબ... મર્ત્ય એટલે જે વ્યક્તિ મરવા માટે યોગ્ય છે. કોણ છે? આ બદ્ધ જીવો, બ્રહ્માથી લઈને તુચ્છ કીડી સુધી, તે બધા મર્ત્ય છે. મર્ત્ય એટલે એવો એક સમય આવશે જયારે તેઓ મરશે. તો મર્ત્યેષુ. આવા બધા નશ્વર જીવોમાં તે સૌથી બુદ્ધિમાન બનશે. અસમ્મૂઢ સ મર્ત્યેષુ. કેમ? સર્વ પાપૈ: પ્રમુચ્યતે. તે બધા પાપોથી મુક્ત થઇ ગયો છે.

આ જગતમાં, આ ભૌતિક જગતમાં, મારો કહેવાનો મતલબ, જાણતા અજાણતા, આપણે હમેશા પાપ કર્મો કરી રહ્યા છીએ. તો આપણે આ પ્રતિક્રિયાથી બાહર આવવું પડશે. અને કેવી રીતે તેનાથી બહાર આવવું? તે પણ ભગવદ ગીતા માં કહેલું છે. યજ્ઞાર્થાત કર્મણો અન્યત્ર લોકો અયમ કર્મ બંધના: (ભ.ગી. ૩.૯). જો તમે કાર્ય કરો, માત્ર કૃષ્ણ માટે કરો...યજ્ઞ એટલે વિષ્ણુ અથવા કૃષ્ણ. જો તમે માત્ર કૃષ્ણ માટે કાર્ય કરો, તો તમે બધી પ્રતિક્રિયાઓથી મુક્ત થાઓ છો. શુભાશુભ ફલૈ: આપણે ક્યારે શુભ તો ક્યારેક અશુભ કાર્ય કરીએ છીએ. પણ જેઓ કૃષ્ણ ભાવનામૃતમાં છે અને તેવી રીતે કાર્ય કરે છે, તેને શુભ કે અશુભ સાથે કોઈ લેવા દેવા નથી. કારણકે તે સૌથી શુભ, કૃષ્ણના સંપર્કમાં છે. તો એટલે સર્વ પાપૈ: પ્રમુચ્યતે. તે બધા પાપના ફળોથી મુક્ત થઇ જાય છે.

આ વિધિ છે. અને જો આપણે આ વિધિ ને આપનાવીશું, તો અંતે આપણે કૃષ્ણના સંપર્કમાં આવી શકીશું. અને આપણું જીવન સફળ થશે. વિધિ બહુ સરળ છે, અને દરેક વ્યક્તિ તેને અપનાવી શકે છે.

આપનો ખૂબ ખૂબ આભાર.