GU/Prabhupada 0088 - જે વિદ્યાર્થીઓ આપણી સાથે જોડાયેલા છે તેમણે શ્રવણ દ્વારા સ્વીકૃતિ આપી છે, સાંભળીને

Revision as of 21:47, 6 October 2018 by Vanibot (talk | contribs) (Vanibot #0023: VideoLocalizer - changed YouTube player to show hard-coded subtitles version)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


Lecture on BG 7.1 -- San Diego, July 1, 1972

બ્રહ્મા કહે છે. બ્રહ્માનો અનુભવ... તેઓ આ બ્રહ્માંડના સર્વોચ જીવાત્મા છે. તેમણે કહ્યું, "જયારે એક વ્યક્તિ અનુમાનની આ અર્થહીન આદત ત્યાગી દેશે..." જ્ઞાને પ્રયાસમ ઉદપાસ્ય. તેણે આજ્ઞાકારી બનવું જ પડશે. કોઈ એ એવો ડોળ ન કરવો જોઈએ કે એને કંઈક આવડે છે. તે કંઇક અનુમાન લગાવી શકે, તે કંઇક શોધ કરી શકે. જેમ કે આ કેહવાતા વૈજ્ઞાનિકો, તેઓ માત્ર અનુમાન અને શ્રમ બરબાદ કરે છે. તમે કઈ કરી શકતા નથી. બધું પહેલેથી ગોઠવાયેલુ છે. તમે ના બદલી શકો. તમે ફક્ત જોઈ શકો છો કે કાયદો કેવી રીતે કામ કરી રહ્યો છે; એટલું તમે કરી શકો. પરંતુ ન તો તમે કાયદો બદલી શકો છો, કે ન તો તમે કાયદા માટે સારી સુવિધા બનાવી શકો છો. ના. તે તમે ના કરી શકો. દૈવી હી એષા ગુણમયી મમ માયા દુરત્યયા (ભ.ગી. ૭.૧૪). દુરત્યયા એટલે તે ખુબ જ મુશ્કેલ છે. તેથી ચૈતન્ય મહાપ્રભુ, જયારે તેમને બ્રહ્માના આ વાક્યની જાણ કરવામાં આવી હતી, કે વ્યક્તિએ આ કાલ્પનિક પદ્ધતિ ત્યાગવી પડશે, કે તે કંઇક બનાવી શકે… આ અર્થહીન આદતોનો પરિત્યાગ થવો જોઈએ. તેણે અત્યન્ત નમ્ર થવું જ જોઈએ. ઘાસ કરતા પણ નમ્ર. જેમ કે આપડે ઘાસને કચડી નાખીએ છીએ; તે વિરોધ નથી કરતું. “ઠીક છે, શ્રીમાન, તમે જાઓ.” એ પ્રકારનું નમ્ર. તૃનાદ અપિ સુનીચેન તરોર અપિ સહિષ્ણુના. તરુ એટલે વૃક્ષ. વૃક્ષ ખુબ જ સહનશીલ છે.

તો ચૈતન્ય મહાપ્રભુએ કહયું, જ્ઞાને પ્રયાસમ ઉદપાશ્ય નમન્ત એવ… "અથવા પછી હું, હું કાલ્પનિક પ્રક્રિયા ત્યાગી દઉં અને હું નમ્ર બનું, જેવી તમે સલાહ આપો છો. પછી મારી પછીની ફરજ શું છે?" પછીની ફરજ છે: નમન્ત એવ, નમ્ર બનવું, સન-મુખરીતામ ભવદીય વર્તમ, તમારે તે વ્યક્તિ પાસે જવું જોઈએ જે ભક્ત છે, અને તમારે તેની પાસેથી સાંભળવું જોઈએ. સ્થાને સ્થિતઃ તમે તમારી જગ્યાએ રહો. તમે અમેરિકન રહો. તમે ભારતીય રહો. તમે ખ્રિસ્તી રહો. તમે હિંદુ રહો. તમે કાળા રહો. તમે સફેદ રહો. તમે સ્ત્રી, પુરુષ રહો, તમે ગમે તે રહો. ફક્ત તમે સાક્ષાત્કારી આત્માઓ દ્વારા અપાતા પ્રવચનને સંભાળવા તમારા કાન આપો. આની ભલામણ થયેલી છે. અને જયારે તમે સાંભળો, તો પછી તમે ચિંતન પણ કરો. જેમ કે તમે મને સાંભળો છો. જો તમે ચિંતન કરો કે "સ્વામીજી શું કહેતા હતા...?" સ્થાને સ્થિતઃ શ્રુતિ ગતામ તનુ વાન મનોભી: શ્રુતિ ગતામ. શ્રુતિ એટલે માત્ર કાન દ્વારા પ્રાપ્ત કરવું. જો તમે ચિંતન કરો અને તમારા શરીર, મનથી સમજવાનો પ્રયાસ કરો, તો પછી ધીમે ધીમે તમને... કારણકે તમારો ઉદ્દેશ આત્મજ્ઞાન છે. તેથી આત્મ એટલે પરમાત્મ. પરમેશ્વર, તેઓ પરમઆત્મ છે. આપણે અભિન્ન અંશ છીએ. તો આ પ્રક્રિયા દ્વારા, ચૈતન્ય મહાપ્રભુ કહે છે, ભગવાન, અજીત, જેને ક્યારેય જીતી ના શકાય... જો તમે... પડકાર દ્વારા, જો તમારે ભગવાનને જાણવા હોય, તમે ક્યારેય સમજી શકશો નહીં. ભગવાન ક્યારેય પડકાર સ્વીકારતા નથી. કારણ કે ભગવાન મહાન છે, શા માટે તેઓ આપણો પડકાર સ્વીકારે? જો તમે કહો, "ઓહ, મારા પ્રિય ભગવાન, કૃપયા અહી આવો. હું તમને જોઇશ," તેથી ભગવાન તેના જેવા નથી, કે તમારા આદેશનું પાલન કરે. તમારે તેમના આદેશનું પાલન કરવું પડે. પછી ભગવદ સાક્ષાત્કાર. ભગવાન કહે છે: "તમે શરણાગતિ લો," સર્વ ધર્માન પરિત્યજ્ય મામ એકમ શરણમ વ્રજ (ભ.ગી. ૧૮.૬૬). તે પ્રક્રિયા, તમે ઈશ્વરને જાણશો. એવું નહીં કે "ઓહ, હું ભગવાનને જાણીશ. મારી જોડે સારી બુદ્ધિ છે, અનુમાન." ના.

તેથી આ સાંભળવાની… આપણે આ સંભાળવાની વાત કરી રહ્યા છીએ. સાંભળવાની પ્રક્રિયા ખુબ મહત્વપૂર્ણ છે. અમારી બધી, આ સંસ્થા, કૃષ્ણ ભાવનામૃત આંદોલન, ફેલાઈ છે કારણકે જે વિદ્યાર્થીઓ જોડાયા છે, તેઓએ શ્રાવ્ય સત્કાર આપ્યો છે, સાંભળવાથી. સાંભળવાથી, એમની અંદરનુ બધું બદલાઈ ગયું અને તેઓ સંપૂર્ણ, પૂર્ણ હ્રદયથી જોડાયા, અને તે... ચાલે છે. તેથી શ્રવણ ખુબ મહત્વપૂર્ણ છે. અમે ઘણા કેન્દ્ર ખોલી રહ્યા છીએ માત્ર લોકોને આ દિવ્ય ઉપદેશ સાંભળવાની તક આપવા. તો તમે તક લો, તમે લો, મારો કેહવાનો અર્થ છે કે, આ સાંભળવાની પ્રક્રિયા નો લાભ લો.