GU/Prabhupada 0500 - તમે આ ભૌતિક જગતમાં હમેશ માટે સુખી ના બની શકો

Revision as of 22:56, 6 October 2018 by Vanibot (talk | contribs) (Vanibot #0023: VideoLocalizer - changed YouTube player to show hard-coded subtitles version)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


Lecture on BG 2.15 -- Hyderabad, November 21, 1972

પ્રભુપાદ: જો તમારે વાસ્તવમાં સુખી બનવું છે, સુખ, જો તમારે વાસ્તવિક સુખ જોઈએ છે, તો તમારે કૃષ્ણ ભાવનાભાવિત બનવાનો પ્રયાસ કરવો જોઈએ. તે તમને વાસ્તવમાં સુખી બનાવશે. નહિતો, તમે આ ભૌતિક અવસ્થાથી ફક્ત વ્યથિત બનશો,

નાસતો વિદ્યતે ભાવો
નાભાવો વિદ્યતે સત:
ઉભયોર અપિ દ્રષ્ટો અંતસ
ત્વ અનયોસ તત્ત્વ દર્શિભી:
(ભ.ગી. ૨.૧૬)

તત્ત્વ દર્શિભી:, જેમણે પરમ સત્ય જોયેલું છે, અથવા જેમણે પરમ સત્યનો સાક્ષાત્કાર કરેલો છે, તેમણે નિષ્કર્ષ આપ્યો છે કે પદાર્થને કોઈ કાયમી અસ્તિત્વ હોતું નથી, અને આત્માને કોઈ વિનાશ નથી હોતો. આ બે વસ્તુઓ સમજવામાં આવશે. અસત: અસત: મતલબ ભૌતિક. નાસતો વિદ્યતે ભાવ: અસત:, કઈ પણ અસત વસ્તુ... ભૌતિક જગતમાં જે કઈ પણ છે, તે અસત છે. અસત મતલબ જે અસ્તિત્વમાં નહીં રહે, કામચલાઉ. તો તમે કામચલાઉ જગતમાં કાયમી સુખની આશા ના રાખી શકો. તે શક્ય નથી. પણ તેઓ સુખી બનવાનો પ્રયત્ન કરી રહ્યા છે. ઘણા યોજના-બનાવવાળા મંડળો, સ્વપ્નસેવી. પણ વાસ્તવમાં કોઈ સુખ નથી. ઘણા બધા મંડળો. પણ... તત્ત્વ દર્શી, તેઓ જાણે છે... તત્ત્વ દર્શી, જે વ્યક્તિએ પરમ સત્યનો સાક્ષાત્કાર કરેલો છે, તે જાણે છે કે ભૌતિક જગતમાં કોઈ સુખ ના હોઈ શકે. આ નિષ્કર્ષ હોવો જોઈએ. આ ફક્ત મનની કલ્પના છે, જો તમારે આ ભૌતિક જગતમાં સુખી બનવું હોય તો.

પણ લોકો એટલા મૂર્ખ બની ગયા છે, વિશેષ કરીને વર્તમાન સમયમાં, તેઓ આ ભૌતિક જગતમાં બસ યોજનાઓ બનાવ્યા કરે છે, કેવી રીતે તેઓ સુખી બનશે. આપણે વ્યવહારિક રીતે જોયું છે. આપણા દેશમાં શું છે? તે ભૌતિક સમાજથી ઘણો, ઘણો પાછળ છે. અમેરિકામાં, ઘણી બધી મોટરગાડીઓ છે. દરેક ત્રીજા માણસ, અથવા બીજા માણસ પાસે એક ગાડી છે. અમે ગરીબ માણસ છીએ, અમે સન્યાસી, બ્રહ્મચારી છીએ. છતાં, દરેક મંદિરમાં અમારી પાસે ઓછામાં ઓછી, ચાર, પાંચ ગાડીઓ છે. દરેક મંદિરમાં. બહુ સરસ ગાડી. આવી ગાડીઓ ભારતમાં મંત્રીઓ પણ કલ્પના ના કરી શકે. તમે જોયું? સરસ, સરસ ગાડીઓ. તો તેમની પાસે ઘણી ગાડીઓ છે. પણ સમસ્યા છે કે તેઓ હમેશા રસ્તાઓ બનાવવામાં પ્રવૃત્ત છે, હાઇવે, એક પછી બીજો, એક પછી બીજો, એક પછી બીજો... તે આ સ્તર પર આવી ગયું છે, ચાર, પાંચ. ચાર-, પાંચ-માળના રસ્તાઓ. (હાસ્ય) તમે તમે કેવી રીતે સુખી બની શકો? તેથી તત્ત્વ દર્શિભી: ન અસત: તમે આ ભૌતિક જગતમાં કાયમી રીતે સુખી ના બની શકો. તે શક્ય નથી. તો અહી સુખી બનવામાં તમારો સમય નષ્ટ ના કરો. બીજી જગ્યાએ, તે કહેલું છે, પદમ પદમ યદ વિપદામ ન તેશામ (શ્રી.ભા. ૧૦.૧૪.૫૮). તે જ ઉદાહરણ આપી શકાય છે. અમેરીકામાં, કેટલા બધા લાખો લોકો મોટર અકસ્માતમાં મરે છે. કેટલા બધા? આંકડો શું છે? તમને યાદ છે?

શ્યામસુંદર: સાઈઠ હજાર, મને લાગે છે કે તે...

પ્રભુપાદ: સાઈઠ હજાર? ના, ના. સાઈઠ હજાર કરતાં વધુ... ઘણા બધા લોકો ગાડીના અકસ્માતમાં મરે છે. તો અમારા અમુક વિદ્યાર્થીઓએ, થોડા મહિના પહેલા, તેઓ ગાડીના અકસ્માતમાં મૃત્યુ પામેલા. અમેરિકામાં ગાડીના અકસ્માતમાં મૃત્યુ બહુ જ આશ્ચર્યની વસ્તુ નથી. કારણકે ગાડીઓ, મારા કહેવાનો મતલબ, સિત્તેર, એસી, નેવું માઈલની ઝડપે દોડતી હોય છે, અને ફક્ત એક મોટરગાડી નહીં, એક પછી બીજી, સેંકડો. અને જો એક થોડી ધીમી થાય, તરત જ (તૂટવાના ધ્વનિનું અનુકરણ કરે છે) "ટકર ટક".