GU/Prabhupada 0532 - કૃષ્ણનો આનંદ કોઈ પણ પ્રકારે ભૌતિક નથી

Revision as of 15:07, 1 August 2017 by Pathik (talk | contribs) (Created page with "<!-- BEGIN CATEGORY LIST --> Category:1080 Gujarati Pages with Videos Category:Prabhupada 0532 - in all Languages Category:GU-Quotes - 1971 Category:GU-Quotes -...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


Radhastami, Srimati Radharani's Appearance Day -- London, August 29, 1971

તો કારણકે કૃષ્ણ, નિરપેક્ષ સત્ય, આનંદમય છે, તેથી એકો બહુ શ્યામ, તેઓ ઘણા બન્યા છે. આપણે પણ કૃષ્ણના અભિન્ન અંશ છીએ, કૃષ્ણને આનંદ આપવા માટે. અને મુખ્ય આનંદમયી શક્તિ છે રાધારાણી.

રાધા કૃષ્ણ પ્રણય વિકૃતિ: આહ્લાદીની શક્તિર અસ્માદ
એકાત્માનાવ અપિ ભુવો (પુરા) દેહ ભેદો ગતૌ તૌ
ચૈતન્યાખ્યામ પ્રકટમ અધુના તદ દ્વયમ ચૈખ્યમ આપ્તમ
રાધા ભાવ (દ્યુતિ) સુવલિતમ નૌમી કૃષ્ણ સ્વરુપમ
(ચૈ.ચ. આદિ ૧.૫)

તો કૃષ્ણ પરબ્રહ્મ છે, જેમ તમે ભગવદ ગીતા પરથી જાણો છો. જ્યારે અર્જુન ભગવદ ગીતા સમજી ગયો, તેણે કૃષ્ણને ભારપૂર્વક કહ્યું, પરમ બ્રહ્મ પરમ ધામ પવિત્રમ પરમમ ભવાન (ભ.ગી. ૧૦.૧૨). તો કૃષ્ણ પરબ્રહ્મ છે. તો આ ભૌતિક જગતમાં આપણે જોઈએ છીએ કે એક મહાન, સંત વ્યક્તિ, ફક્ત બ્રહ્માનંદ માણવા માટે, તે સમસ્ત ભૌતિક આનંદનો ત્યાગ કરી દે છે. તે સન્યાસી બની જાય છે. અહમ બ્રહ્માસ્મિ. ફક્ત તે સમજવા માટે કે તે બ્રહ્મ સાક્ષાત્કારમાં છે. તો જો વ્યક્તિએ બ્રહ્મ સાક્ષાત્કાર માટે બધુ ભૌતિક છોડવું પડે, શું તમે વિચારો છો કે પરબ્રહ્મ, સર્વોચ્ચ બ્રહ્મ, કોઈ ભૌતિક આનંદ કરી શકે? ના. કૃષ્ણનો આનંદ ભૌતિક નથી. આ મુદ્દો સમજવો જોઈએ. બ્રહ્મ સાક્ષાત્કાર માટે આપણે બધુ જ ભૌતિક છોડી દઈએ છીએ. અને કેવી રીતે પરબ્રહ્મ કોઈ ભૌતિક વસ્તુનો આનંદ કરી શકે? આ પ્રશ્નની બહુ જ સરસ રીતે જીવ ગોસ્વામી દ્વારા ચર્ચા કરવામાં આવેલી છે.

તો જ્યારે પરબ્રહ્મ... સૌ પ્રથમ, આ ભૌતિક જગતમાં પરબ્રહ્મની કોઈ માહિતી જ નથી. થોડી બ્રહ્મની માહિતી છે. અથવા થોડી પરમાત્માની માહિતી છે. પણ પરબ્રહ્મ, અથવા ભગવાન, ની માહિતી. તેથી તે કહ્યું છે, મનુષ્યાણામ સહસ્રેષુ કશ્ચિદ યતતિ સિદ્ધયે (ભ.ગી. ૭.૩). સિદ્ધયે મતલબ બ્રહ્મ અથવા પરમાત્માને સમજવું. પણ આવા ઘણા વ્યક્તિઓ કે જેમણે બ્રહ્મ અથવા પરમાત્માનો સાક્ષાત્કાર કર્યો છે, તેમાથી, ભાગ્યે જ એક વ્યક્તિ કૃષ્ણને જાણી શકે છે. અને તે... સૌ પ્રથમ... (તોડ) ... આપણે કૃષ્ણ આહ્લાદીની શક્તિ વિશે શું સમજી શકીએ? જેમ કે, જો મારે કોઈ મોટા માણસને સમજાવો છે. તે વિધિ છે. અને તે મોટા માણસને જાણ્યા વગર, હું તેના આંતરિક કાર્યકલાપોને કેવી રીતે સમજી શકું? તેવી જ રીતે, જો આપણે કૃષ્ણને સમજીએ નહીં, આપણે કેવી રીતે સમજીએ કેવી રીતે કૃષ્ણ આનંદ કરે છે? તે શક્ય નથી. પણ ગોસ્વામીઓ, તેઓ આપણને માહિતી આપે છે, કૃષ્ણની આહ્લાદીની શક્તિ શું છે. તે શ્રીમતી રાધારાણી છે.

તો આપણે રાધા-કૃષ્ણના પ્રેમમય કાર્યકલાપો વિશે ચર્ચા કરી છે, ભગવાન ચૈતન્યના ઉપદેશોમાં, પૃષ્ઠ ૨૬૪માં. જો તમારી પાસે આ પુસ્તક હોય, તમે વાંચી શકો છો, કેવી રીતે રાધા-કૃષ્ણના પ્રેમમય કાર્યકલાપોનું આદાન પ્રદાન છે, દિવ્ય. તો આપણી, આજે, રાધારાણીને પ્રાર્થના... આપણે રાધારાણીને પ્રાર્થના કરીએ છીએ કારણકે તેઓ કૃષ્ણની આહ્લાદીની શક્તિ છે. કૃષ્ણ મતલબ "સર્વ-આકર્ષક." પણ રાધારાણી એટલા મહાન છે કે તેઓ કૃષ્ણને આકર્ષિત કરે છે. કૃષ્ણ સર્વ-આકર્ષક છે, અને તેઓ કૃષ્ણને આકર્ષે છે. તો શ્રીમતી રાધારાણીનું પદ શું છે? આપણે આ દિવસને સમજવાનો પ્રયત્ન કરવો જોઈએ, અને રાધારાણીને આપણા પ્રણામ અર્પણ કરવા જોઈએ. રાધે વૃંદાવનેશ્વરી.

તપ્ત કાંચન ગૌરાંગી રાધે વૃંદાવનેશ્વરી
વૃષભાનુ સૂતે દેવી પ્રણમામી હરિપ્રિયે

આપણું કાર્ય છે "રાધારાણી, તમે કૃષ્ણને અત્યંત પ્રિય છો. તમે મહારાજ વૃષભાનુના પુત્રી છો અને તમે કૃષ્ણને અત્યંત પ્રિય છો. તો અમે તમને અમારા સાદર પ્રણામ અર્પણ કરીએ છીએ."

તપ્ત કાંચન ગૌરાંગી રાધે વૃંદાવનેશ્વરી
વૃષભાનુ સૂતે દેવી પ્રણમામી હરિપ્રિયે