GU/Prabhupada 0964 - જ્યારે કૃષ્ણ આ ગ્રહ પર ઉપસ્થિત હતા, તેઓ ગોલોક વૃંદાવનમાં ન હતા. ના

Revision as of 08:23, 30 May 2017 by Pathik (talk | contribs) (Created page with "<!-- BEGIN CATEGORY LIST --> Category:1080 Gujarati Pages with Videos Category:Gujarati Pages - 207 Live Videos Category:Prabhupada 0964 - in all Languages Categ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


Invalid source, must be from amazon or causelessmery.com

720000 - Lecture BG Introduction - Los Angeles

જેમ આ બ્રહ્માણ્ડના સૌથી ઉચ્ચ ગ્રહને બ્રહ્મલોક કહેવાય છે, તેવી જ રીતે, આધ્યાત્મિક આકાશમાં, એક સર્વોચ્ચ ગ્રહ છે જેને ગોલોક વૃંદાવન કહેવાય છે. તે કૃષ્ણનું સ્થળ છે. કૃષ્ણ ત્યાં છે. પણ તેઓ સ્વયંને તેમની વિવિધ શક્તિઓ દ્વારા વિસ્તારીત કરી શકે છે અને તેમના વિવિધ પ્રકારના અવતારો દ્વારા. તેનો મતલબ એમ નથી કે કૃષ્ણ જ્યારે આ ગ્રહ પર ઉપસ્થિત હતા, કૃષ્ણ ગોલોક વૃંદાવનમાં અનુપસ્થિત હતા. ના. તે તેવું નથી. જેમ કે હું અત્યારે અહી હાજર છું, હું મારા એપાર્ટમેંટમાં અનુપસ્થિત છું. કૃષ્ણ તેવા નથી. કૃષ્ણ કોઈ પણ સ્થળે હાજર હોઈ શકે છે; અને તે જ સમયે, તેઓ પોતાના ધામમાં પણ રહી શકે છે. તે બ્રહ્મસંહિતામાં વર્ણવેલું છે: ગોલોક એવ નિવસત્ય અખિલાત્મ ભૂત: (બ્ર.સં. ૫.૩૭). જોકે તેઓ તેમના ધામમાં છે, જેને ગોલોક વૃંદાવન કહેવાય છે, તેઓ સ્વયંને દરેકમાં વિસ્તારીત કરી શકે છે... દરેક જગ્યાએ. અને ખરેખર તેમણે તે કરેલું છે. તો આપણે જાણવું જ જોઈએ કે તેઓ વિસ્તારીત થયેલા છે. તે રીતે તેઓ આપણી સાથે સંપર્કમાં છે. તે વિજ્ઞાન છે. ભગવદ ગીતામાં, આ વસ્તુઓ સમજાવેલી છે.

તો કૃષ્ણને અહી પરમ ધામન તરીકે સંબોધ્યા છે. બધાનું આશ્રયસ્થાન. દરેક વસ્તુ આશ્રય કરી રહી છે. કૃષ્ણ પણ કહે છે, મતસ્થાની સર્વ ભૂતાની (ભ.ગી. ૯.૪). દરેક વસ્તુ, ભૌતિક અભિવ્યક્તિ, તેમના પર આશ્રિત છે. ન ચાહમ તેષુ અવસ્થિત: - પણ હું ત્યાં નથી. આ વિરોધાભાસી વસ્તુઓ છે. બધી વસ્તુઓ તેમના પર આશ્રિત છે, પણ હું ત્યાં નથી. પણ તે વિરોધાભાસી નથી. તે સમજવું બહુ સરળ છે. જેમ કે, બધા ગ્રહો, તેઓ સૂર્યપ્રકાશ પર આશ્રિત છે. પણ સૂર્ય ગ્રહોથી ઘણો દૂર છે. કરોડો માઇલ દૂર... પણ સૂર્યપ્રકાશ પર આશ્રિત મતલબ સૂર્ય પર આશ્રિત. તે હકીકત છે. તેથી કૃષ્ણ કહે છે, મત સ્થાની સર્વ ભૂતાની ન ચાહમ તેષુ અવસ્થિત: (ભ.ગી. ૯.૪). પરમ બ્રહ્મ પરમ ધામ પવિત્રમ (ભ.ગી. ૧૦.૧૨)... પવિત્રમ મતલબ વિશુદ્ધ. જ્યારે કોઈ આ ભૌતિક જગતમાં આવે છે... આપણે આધ્યાત્મિક આત્મા છીએ, બ્રહમન, પરમબ્રહમન, કૃષ્ણ, જેટલા સારા નહીં, પણ છતાં, કારણકે આપણે કૃષ્ણના અભિન્ન અંશ છીએ, આપણે પણ બ્રહમન છીએ. પવિત્રમ. પવિત્રમ મતલબ શુદ્ધ. જેમ કે સોનાનો કણ પણ સોનું છે. જો સોનું શુદ્ધ છે, કણ પણ શુદ્ધ છે.

તો કૃષ્ણ આ જગતમાં આવે છે, આપણે પણ આ જગતમાં આવીએ છીએ. પણ આપણે દૂષિત છીએ. પણ કૃષ્ણ દૂષિત નથી. આ ઉદાહરણ છે, જેમ કે જેલ, કેટલા બધા કેદીઓ છે, પણ જો રાજા, કે કોઈ રાજાનો અધિકારી, મંત્રી, જેલમાં જાય, વસ્તુઓની ચકાસણી કરવા, કેવી રીતે વસ્તુઓ ચાલી રહી છે, તો તેનો મતલબ તેવો નથી કે રાજા કે મંત્રી કેદી છે. તે કેદી નથી. પણ આપણે, જીવ, આપણે આ પ્રકૃતિના ભૌતિક ગુણોથી જકડાઈ ગયા છીએ. પણ કૃષ્ણ ક્યારેય આ ભૌતિક પ્રકૃતિના ગુણોમાં સામેલ નથી થતાં. તેથી તેમણે પવિત્રમ પરમમ કહેવાય છે. નિરપેક્ષ વિશુદ્ધ. ભવન, ભવન મતલબ તમે, ભગવાન. અને પુરુષમ. પુરુષમ તેમને એક વ્યક્તિ તરીકે સંબોધ્યા છે. ભગવાન કદી નિરાકાર નથી. ભગવાન વ્યક્તિ છે. તદ્દન તેવી જ રીતે વ્યક્તિ જેમ કે હું અને તમે છો. અને જ્યારે તેઓ આ ગ્રહ પર અવતરિત થાય છે, તદ્દન મનુષ્ય તરીકે, બે હાથ, બે પગ... મનુષ્યની જેમ ચાલતા, વાતો કરતાં, મનુષ્યની જેમ વર્તાવ કરતાં, બધુજ. તો ભગવાન પુરુષમ છે. પુરુષમ મતલબ માણસ. મારો કહેવાનો મતલબ, નર. નારી નહીં. નર. નર બન્યા સિવાય કોઈ ભોક્તા ના હોઈ શકે. બીજા સ્થળે કહેવાયું છે કે કૃષ્ણ પરમ ભોક્તા છે. જેવો ભોક્તા શબ્દ વપરાય છે, તે પુરુષમ જ હોવો જોઈએ, નર. તો તે વર્ણવેલું છે. અર્જુન તેમને સમજી ગયો. તેઓ પુરુષમ છે. પરમ પુરુષમ, સર્વોચ્ચ વ્યક્તિ. બીજા સ્થળે કૃષ્ણને પુરુષોત્તમ તરીકે વર્ણવેલા છે - નરોમાં ઉત્તમ. તો, પુરુષમ શાશ્વતમ. શાશ્વતમ મતલબ સનાતન.