GU/Prabhupada 1074 - આ ભૌતિક જગતમાં જે પણ કષ્ટો આપણે અનુભવ કરીએ છીએ -તે બધા આ ભૌતિક શરીરના કારણે છે

Revision as of 15:01, 13 July 2017 by Pathik (talk | contribs) (Created page with "<!-- BEGIN CATEGORY LIST --> Category:1080 Gujarati Pages with Videos Category:Prabhupada 1074 - in all Languages Category:GU-Quotes - 1966 Category:GU-Quotes -...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


660219-20 - Lecture BG Introduction - New York

ભગવદ ગીતામાં બીજી જગ્યાએ તેમ પણ કહેલું છે કે

અવ્યકતો અક્ષર ઈતિ ઉક્તસ
તમ આહુ: પરમામ ગતિમ
યમ પ્રાપ્ય ન નિવર્તન્તે
તદ ધામ પરમમ મમ
(ભ.ગી. ૮.૨૧)

અવ્યક્ત એટલે કે અપ્રકટ. ભૌતિક જગતનો ભાગ પણ આપણી સામે પ્રકટ થયો નથી. આપણી ઇન્દ્રિયો એટલી અપૂર્ણ છે કે આપણે જોઈ પણ નથી શકતા કેટલા તારાઓ છે, કેટલા ગ્રહ છે આ ભૌતિક જગતમાં. અવશ્ય, વૈદિક સાહિત્યથી આપણને બધા ગ્રહો વિષે માહિતી મળે છે. આપણે તેને માનીએ કે ના માનીએ, પણ જે પણ મહત્વપૂર્ણ ગ્રહો સાથે આપણને સંબંધ છે, તેનું વર્ણન વૈદિક સાહિત્ય, અને વિશેષ કરીને શ્રીમદ ભાગવતમાં થયેલું છે. પણ તે આધ્યાત્મિક જગત, જે આ ભૌતિક જગતની પરે છે, પરસ તસ્માત તુ ભાવો અન્યો (ભ.ગી. ૮.૨૦), પણ તે અવ્યક્ત, તે અપ્રકટ આધ્યાત્મિક આકાશ, પરમામ ગતિમ છે, તે છે, વ્યક્તિએ ઈચ્છા કરવી જોઈએ, વ્યક્તિએ આકાંક્ષા કરવી જોઈએ તે જગતને પ્રાપ્ત કરવા માટે. અને એક વાર આપણે તે પરમ ધામને પ્રાપ્ત કરીશું, યમ પ્રાપ્ય, તે ધામને પ્રાપ્ત કર્યા પછી, ન નિવર્તન્તે, વ્યક્તિએ પાછું આ ભૌતિક જગતમાં આવવાની જરૂર નથી. અને તે સ્થાન કે જે ભગવાનનું શાશ્વત ધામ છે, કે જ્યાંથી આપણને પાછુ આવવાની જરૂર નથી, તે આપણું... (તોડ) હવે એક પ્રશ્ન પૂછી શકાય છે, કેવી રીતે ભગવાનનું તે ધામ પ્રાપ્ત કરી શકાય? તે પણ ભગવદ ગીતામાં વર્ણિત છે. તે આઠમાં અધ્યાયના શ્લોક ૫, ૬, ૭, ૮માં કહેલું છે, પરમ ભગવાન અથવા પરમ ભગવાનના ધામને પ્રાપ્ત કરવાની વિધિ તે અહી પણ આપેલી છે. એવું કહ્યું છે:

અંત-કાલે ચ મામ એવ
સ્મરણ મુક્ત્વા કલેવરમ
ય: પ્રયાતિ સ મદ ભાવમ
યાતિ નાસ્તિ અત્ર-સંશય:

(ભ.ગી. ૮.૫)

અંત-કાલે, જીવનના અંતિમ સમયે, મૃત્યુના સમયે. અંત-કાલે ચ મામ એવ. જે કૃષ્ણ વિશે વિચારે છે, સ્મરણ, જો તે યાદ કરી શકે છે. એક મરતો વ્યક્તિ, મૃત્યુના સમયે, જો તે કૃષ્ણના રૂપનું સ્મરણ કરશે અને તે રીતે સ્મરણ કરતા કરતા, જો તે વર્તમાન શરીરને છોડશે, તો તે અવશ્ય આધ્યાત્મિક જગતને પ્રાપ્ત કરશે, મદ-ભાવમ. ભાવમ એટલે કે આધ્યાત્મિક પ્રકૃતિ. ય: પ્રયાતિ સ મદ ભાવમ. મદ-ભાવમ એટલે કે પરમ ભગવાનની દિવ્ય પ્રકૃતિ. જેમ અમે ઉપર વર્ણિત કરેલું છે, કે પરમ ભગવાન સચ-ચિદ-આનંદ વિગ્રહ છે (બ્ર.સં. ૫.૧). તેમને તેમનું રૂપ છે, પણ તેમનું રૂપ સત, અથવા શાશ્વત છે; અને જ્ઞાનથી પૂર્ણ છે, ચિત; અને આનંદથી પૂર્ણ છે, આનંદ. હવે આપણે પોતાના વર્તમાન શરીર સાથે તુલના કરી શકીએ છીએ, શું આ શરીર સત-ચિત-આનંદ છે. ના. આ શરીર અસત છે. સત હોવાના બદલે તે અસત છે. અન્તવન્ત ઈમે દેહા (ભ.ગી. ૨.૧૮), ભગવદ ગીતા કહે છે, કે આ શરીર અન્તવન્ત, નશ્વર છે. અને... સત-ચિત-આનંદ. સત બન્યા વગર, તે અસત છે, બિલકુલ ઊલટું. અને ચિત, જ્ઞાનથી પૂર્ણ હોવાને બદલ, તે અજ્ઞાનથી પૂર્ણ છે. આપણને તે આધ્યાત્મિક જગતની કોઈ માહિતી નથી, ન તો આપણી પાસે આ ભૌતિક જગતનું પૂર્ણ જ્ઞાન પ્રાપ્ત છે. કેટલી બધી વસ્તુઓ આપણે જાણતા નથી, અને તેથી આ શરીર અજ્ઞાની છે. જ્ઞાનથી પૂર્ણ હોવાને બદલે તે અજ્ઞાની છે. આ શરીર નશ્વર છે, અજ્ઞાનથી પૂર્ણ છે, અને નિરાનંદ છે. આનંદથી પૂર્ણ હોવાના બદલે, તે કષ્ટોથી પૂર્ણ છે. આ ભૌતિક જગતમાં જે પણ કષ્ટોનો આપણે અનુભવ કરીએ છીએ, તે આ ભૌતિક શરીરના કારણે છે.