GU/670120 ભાષણ - શ્રીલ પ્રભુપાદ સાન ફ્રાન્સિસ્કો માં અમૃત બિંદુ બોલે છે

GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"ભગવાન ચૈતન્ય મહાપુભુની વિશેષતા એ હતી કે તેઓ ખૂબ જ વાજબી દલીલો કરતા હતા, અને તેઓ તેમના વિરોધીઓને એવી રીતે હરાવતા હતા કે તેઓ સંતુષ્ટ થતા. તેઓ વિરોધી નહોતા. અને શાસ્ત્રના પુરાવા સાથે. ખોટા તર્ક વિતર્ક નહીં. તેઓ શાસ્ત્રથી વાજબી દલીલો અને પુરાવા મુકતા. સર્વ-શાસ્ત્ર ખંડી પ્રભુ ભક્તિ કરે સાર. અને સુંદરતા એ હતી કે તેઓ ભક્તિમય સેવાની સામે અન્ય બધી દલીલોને પરાજિત કરતા. તેઓ ફક્ત તે જ સ્થાપિત કરી રહ્યા હતા કે 'ભગવાન મહાન છે, અને આપણે તેમની સેવા કરવા માટે છીએ."
670120 - ભાષણ ચૈ.ચ. મધ્ય ૨૫.૧૯-૩૦- સાન ફ્રાન્સિસ્કો‎