GU/680620 ભાષણ - શ્રીલ પ્રભુપાદ મોંટરીયલ માં અમૃત બિંદુ બોલે છે

GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"કૃષ્ણ દરેકના હૃદયમાં સ્થિત છે. તેવું નથી કારણ કે હું સન્યાસી છું, કૃષ્ણ મારા હૃદયમાં વિરાજમાન છે. ના. કૃષ્ણ દરેકના હૃદયમાં વિરાજમાન છે. ઇશ્વરઃ સર્વ-ભૂતાનામ હૃદ-દેશે અર્જુન તિષ્ઠતિ (ભ.ગી. ૧૮.૬૧). તો... અને તેઓ ભાવનાશીલ છે. તેઓ જ્ઞાનમાં સંપૂર્ણ છે. તેથી આ કર્મ જ, કે વ્યક્તિ કૃષ્ણને સમજવાનો પ્રયત્ન કરી રહ્યો છે, તે કૃષ્ણને ખૂબ જ પ્રસન્ન કરે છે. કારણ કે તમે કૃપા કરીને અહીં આવ્યા છો, તો કૃષ્ણ તમારી અંદર છે, અને તમે ધૈર્યપૂર્વક શ્રવણ કરી રહ્યા છો, તેઓ પહેલેથી જ પ્રસન્ન છે. અને તેની અસર એ હશે કે શ્રુણવતામ સ્વ-કથા: કૃષ્ણ પુણ્ય-શ્રવણ-કીર્તન:, હૃદિ અંતઃ-સ્થો હી અભદ્રાણિ. અભદ્રનો અર્થ તે બીભત્સ ચીજો છે જે આપણે આપણા હૃદયમાં અનાદિ કાળથી જ એકઠી થયેલી છે."
680620 - ભાષણ શ્રી.ભા. ૦૧.૦૪.૨૫ - મોંટરીયલ