GU/680802b ભાષણ - શ્રીલ પ્રભુપાદ મોંટરીયલ માં અમૃત બિંદુ બોલે છે

GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"તો ભગવાનનું બીજું નામ અધોક્ષજ છે, મતલબ આપણી અનુભૂતિથી પરે. તમે ભગવાનને પ્રત્યક્ષ જોઈને અથવા પ્રત્યક્ષ સુગંધ દ્વારા અથવા પ્રત્યક્ષ સાંભળીને અથવા પ્રત્યક્ષ ચાખીને અથવા સ્પર્શ દ્વારા સમજી શકાતા નથી. વર્તમાન ક્ષણે તે શક્ય નથી, સિવાય કે તમે આધ્યાત્મિક રૂપે ઉન્નત હોવ, જ્યાં સુધી આપણી જોવાની શક્તિ સુધરે નહીં, આપણી શ્રવણ શક્તિ સુધરે નહીં. આ રીતે, જ્યારે આપણી ઇન્દ્રિયો શુદ્ધ થઈ જાય છે, ત્યારે આપણે ભગવાન વિશે સાંભળી શકીએ છીએ, ભગવાનને જોઈ શકીએ છીએ, ભગવાનની સુગંધ લઈ શકીએ છીએ, ભગવાનને સ્પર્શી શકીએ છીએ. તે શક્ય છે. તે વિજ્ઞાનની તાલીમ દ્વારા, ભગવાનને કેવી રીતે જોવા, ભગવાનને કેવી રીતે સાંભળવા, તમારી ઇન્દ્રિયો દ્વારા ભગવાનને કેવી રીતે સ્પર્શ કરવા, તે શક્ય છે. તે વિજ્ઞાન ભક્તિમય સેવા અથવા કૃષ્ણ ભાવનામૃત કહેવાય છે."
680802 - ભાષણ શ્રી.ભા. ૦૧.૦૨.૦૫- મોંટરીયલ