GU/680811c ભાષણ - શ્રીલ પ્રભુપાદ મોંટરીયલ માં અમૃત બિંદુ બોલે છે

GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"હરે એટલે કૃષ્ણની શક્તિને સંબોધિત કરવી, અને કૃષ્ણ સ્વયં ભગવાન છે. તો આપણે સંબોધિત કરીએ છીએ, "ઓ કૃષ્ણની શક્તિ, ઓ કૃષ્ણ, રામ, હે પરમ આનંદકર્તા, અને હરે, તે જ શક્તિ, આધ્યાત્મિક શક્તિ." આપણી પ્રાર્થના છે, "કૃપા કરીને મને તમારી સેવામાં જોડો." આપણે બધા કોઈક પ્રકારની સેવામાં રોકાયલા છીએ. તેના વિશે કોઈ શંકા નથી. પરંતુ આપણે કષ્ટ ભોગવી રહ્યા છીએ. માયાની સેવા કરીને, આપણે કષ્ટ ભોગવી રહ્યા છીએ. માયા એટલે આપણે જેની સેવા કરી રહ્યા છીએ તે સંતુષ્ટ ન થાય; અને તમે સેવા આપી રહ્યા છો - તમે પણ સંતુષ્ટ નથી. તે તમારાથી સંતુષ્ટ નથી; તમે તેનાથી સંતુષ્ટ નથી. આને માયા કહેવામાં આવે છે."
680811 - ભાષણ બ્રાહ્મણ દીક્ષા - મોંટરીયલ