GU/680824 ભાષણ - શ્રીલ પ્રભુપાદ મોંટરીયલ માં અમૃત બિંદુ બોલે છે

GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"તો ભગવદ્ ગીતા ભગવાનનું વિજ્ઞાન છે. દરેક વસ્તુને સમજવાની વૈજ્ઞાનિક પ્રક્રિયા હોય છે. શ્રીમદ-ભાગવતમમાં તે કહેવામાં આવ્યું છે, જ્ઞાનમ મે પરમ-ગુહ્યમ યદ વિજ્ઞાન-સમન્વિતમ (શ્રી.ભા. ૨.૯.૩૧). જ્ઞાન, અથવા ભગવાનનું વિજ્ઞાન, ખૂબ જ રહસ્યમય છે. આ વિજ્ઞાન સામાન્ય વિજ્ઞાન નથી. તે ખૂબ જ રહસ્યમય છે. જ્ઞાનમ મે પરમ-ગુહ્યમ યદ વિજ્ઞાન-સમન્વિતમ. વિજ્ઞાનનો અર્થ છે... વિ નો મતલબ ચોક્કસ છે. તે એક વિશિષ્ટ જ્ઞાન છે, અને તે ચોક્કસ પ્રક્રિયા દ્વારા સમજવું જોઈએ."
680824 - ભાષણ ભ.ગી. ૦૪.૦૧ - મોંટરીયલ