GU/680911 ભાષણ - શ્રીલ પ્રભુપાદ સાન ફ્રાન્સિસ્કો માં અમૃત બિંદુ બોલે છે

GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"એક કૃષ્ણ ભાવનાભાવિત વ્યક્તિ મૂર્ખ ન હોવો જોઈએ. જો તેને તે સમજાવવાની જરૂર પડે કે આ વિશ્વના ગ્રહો કેવી રીતે તરે છે, આ માનવ શરીર કેવી રીતે ફરી રહ્યું છે, જીવનની કેટલી યોનીઓ, કેવી રીતે તે વિકસિત થઈ રહી છે... આ બધું વૈજ્ઞાનિક જ્ઞાન છે - ભૌતિકશાસ્ત્ર, વનસ્પતિશાસ્ત્ર, રસાયણશાસ્ત્ર, ખગોળશાસ્ત્ર, બધું. તેથી કૃષ્ણ કહે છે, યજ જ્ઞાત્વા: જો તમે આ જ્ઞાન, કૃષ્ણ ભાવનામૃતને સમજો છો, તો તમારે કશું જાણવાનું બાકી રહેતું નથી. તેનો અર્થ એ કે તમારી પાસે પૂર્ણ જ્ઞાન હશે. આપણે જ્ઞાન પાછળ દોડી રહ્યા છીએ, પણ જો આપણે કૃષ્ણ ભાવનામૃતના જ્ઞાનમાં હોઈશું, અને જો આપણે કૃષ્ણને જાણીએ છીએ, તો બધા જ જ્ઞાનનો સમાવેશ થઈ જાય છે."
680911 - ભાષણ ભ.ગી. ૦૭.૦૨- સાન ફ્રાન્સિસ્કો‎