GU/681023 ભાષણ - શ્રીલ પ્રભુપાદ મોંટરીયલ માં અમૃત બિંદુ બોલે છે

GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"તો કુટુંબ અને બાળકો સાથે રહેવું એ જીવનની આધ્યાત્મિક પ્રગતિ માટે અયોગ્યતા નથી. તે અયોગ્યતા નથી, કારણ કે છેવટે, વ્યક્તિએ તેનો જન્મ પિતા અને માતા પાસેથી લેવો પડે છે. તેથી બધા મહાન આચાર્યો, મહાન આધ્યાત્મિક નેતાઓ, છેવટે, તેઓ પિતા અને માતામાંથી આવ્યા છે. તેથી પિતા અને માતાના જોડાણ વિના, કોઈ મહાન આત્માના જન્મની પણ સંભાવના નથી. શંકરાચાર્ય, પ્રભુ ઈશુ ખ્રિસ્ત, રામાનુજાચાર્ય જેવા મહાન આત્માઓના ઘણા ઉદાહરણો છે. તેમની પાસે કોઈ બહુ મોટી વંશપરંપરાગત પદવી ન હતી, છતાં, તેઓ ગૃહસ્થ, પિતા અને માતામાંથી બહાર આવ્યા. તો ગૃહસ્થ જીવન અયોગ્યતા નથી."
681023 - ભાષણ શ્રી.ભા. ૦૨.૦૧.૦૨-૫ - મોંટરીયલ