GU/681222b ભાષણ - શ્રીલ પ્રભુપાદ લોસ એંજલિસ માં અમૃત બિંદુ બોલે છે

GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"ભૌતિક પ્રકૃતિમાં, જોકે આત્મા શાશ્વત છે, જેમ આપણે પહેલા જ સમજાવ્યું છે, પ્રવૃત્તિઓ અસ્થાયી છે. કૃષ્ણ ભાવનામૃત આંદોલન એ આત્માને તેની શાશ્વત પ્રવૃત્તિઓમાં સ્થાન આપવાનું લક્ષ્ય રાખે છે. જ્યારે આપણે ભૌતિક રૂપે બંધાયેલા હોઈએ ત્યારે પણ શાશ્વત પ્રવૃત્તિઓ કરી શકાય છે. તેને ફક્ત દિશા જોઈએ છે. પરંતુ નિર્ધારિત નિયમો હેઠળ આધ્યાત્મિક રીતે કાર્ય કરવું શક્ય છે. કૃષ્ણ ભાવનામૃત આંદોલન આ આધ્યાત્મિક પ્રવૃત્તિઓ શીખવે છે, અને જો કોઈને આ પ્રકારની આધ્યાત્મિક પ્રવૃત્તિઓમાં તાલીમ આપવામાં આવે છે, તો તે આધ્યાત્મિક જગતમાં સ્થાનાંતરિત થાય છે, જેના વિષે આપણને વૈદિક સાહિત્ય અને ભગવદ્ ગીતામાંથી પણ પૂરતા પુરાવા મળે છે. અને આધ્યાત્મિક રીતે પ્રશિક્ષિત વ્યક્તિને ચેતનામાં પરિવર્તન દ્વારા સરળતાથી આધ્યાત્મિક જગતમાં સ્થાનાંતરિત કરી શકાય છે."
681222 - ભાષણ પ્રેસ જાહેરાત - લોસ એંજલિસ