GU/690309 ભાષણ - શ્રીલ પ્રભુપાદ હવાઈ માં અમૃત બિંદુ બોલે છે

GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"પ્રત્યેક જીવાત્મા સ્વભાવથી આનંદમય, આધ્યાત્મિક હોય છે, અને કારણ કે તે ભૌતિક રીતે આચ્છાદિત છે, તેના આનંદમાં અવરોધ આવે છે. તે જ વાસ્તવિક સ્થિતિ છે. તાવની પરિસ્થિતિમાં, વ્યક્તિ બીમાર પડે છે, તાવગ્રસ્ત - તેનો આનંદ જતો રહે છે. તે બીમાર બને છે. તે જ રીતે, આપણી પ્રાકૃતિક સ્થિતિ આનંદમય છે. આનંદમયો અભ્યાસાત. કૃષ્ણ આનંદમય છે. હું કૃષ્ણનો અભિન્ન અંશ છું; તેથી હું પણ આનંદમય હોવો જોઈએ. તે સ્વાભાવિક છે. જો મારા પિતા કાળા છે, તો હું પણ કાળો છું. જો મારી માતા કાળી છે, તો હું પણ કાળી છું. તો આપણા પિતા, પરમ પિતા કૃષ્ણ આનંદમય છે."
690309 - ભાષણ શ્રી.ભા. ૦૭.૦૯.૦૮ - હવાઈ‎