GU/710214e વાર્તાલાપ - શ્રીલ પ્રભુપાદ ગોરખપુર માં અમૃત બિંદુ બોલે છે

GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"તે એક સત્ય છે કે આખી માનવ સંસ્કૃતિ એ છેતરાનારાઓ અને છેતરપિંડી કરનારાઓનો સમાજ છે. બસ. કોઈપણ ક્ષેત્ર. માયૈવ વ્યાવહારીકે (શ્રી.ભા. ૧૨.૨.૩). આ કળિયુગમાં આખું વિશ્વ: માયૈવ વ્યાવહારીકે. વ્યાવહારીકે એટલે સામાન્ય વ્યવહાર, છેતરપિંડી થશે જ. સામાન્ય રીતે, છેતરપિંડી થશે. દૈનિક બાબતો. ખૂબ મોટી વસ્તુઓ વિશે નથી કહેતા. સામાન્ય વ્યવહાર, છેતરપિંડી થશે. તે ભાગવતમાં જણાવ્યું છે, માયૈવ વ્યાવહારી. આ દ્રશ્યમાંથી જેટલા વહેલા તમે નીકળી જાઓ તેટલું સારું છે. તે કૃષ્ણ ભાવનામૃત છે. જ્યા સુધી તમે જીવો છો, તમે ફક્ત હરે કૃષ્ણનો જપ કરો અને કૃષ્ણની મહિમાનો પ્રચાર કરો, અને બસ. નહીંતો, તમારે તે જાણવું જોઈએ કે આ ખતરનાક સ્થળ છે.
710214 - વાર્તાલાપ - ગોરખપુર‎