GU/720920 ભાષણ - શ્રીલ પ્રભુપાદ લોસ એંજલિસમાં અમૃત બિંદુ બોલે છે

GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
પ્રભુપાદ: કર્મ પ્રમાણે, જીવનની અલગ અલગ યોનીઓ હોય છે, પણ તેમને બધાને જીવવાની સુવિધાઓ હોય છે. તે ભગવાનની રચના છે. મયાધ્યક્ષેણ પ્રકૃતિ સુયતે સચરાચરમ (ભ.ગી. ૯.૧૦). નિર્દેશન છે, કે આ જીવને દરિયામાં ખૂબ જ આનંદપણે તરવા માટે એક શરીર જોઈતું હતું, તો હવે તેને એક માછલીનું શરીર મળ્યું છે. તો તેને ખૂબ જ શાંતિથી રહેવા દો. તે ભગવાનની કૃપા છે. તમે તે સર્ફ.. થી ખૂબ જ મજા લો છો... શું કહેવાય છે, દરિયામાં?
ભક્ત: સર્ફબોર્ડ.
પ્રભુપાદ: સર્ફબોર્ડ? હા. (હાસ્ય) તો જો તમે તમારી પ્રવૃત્તિ વધારો... "કેવી રીતે હું આ તરવાની રમતને દિવસ અને રાત માણીશ?" તો, તો કૃષ્ણ તમને માછલીનું શરીર આપશે. (હાસ્ય) હા. તેઓ ખૂબ જ દયાળુ છે. અને તમે દરિયામાં ખૂબ જ સરસ રીતે રહેશો, કોઈ પણ મુશ્કેલી વગર હમેશા તરતા. દરેક જીવન. જેવુ તમે ચોક્કસ પ્રકારના કાર્યોમાં તમારી વૃત્તિ વધારશો, પ્રકૃતિ તરત જ તૈયાર છે: 'આ શરીર લો. તમે શા માટે ચિંતિત છો? આ શરીર લો'. તેવી જ રીતે, તમે જો કૃષ્ણ જેવુ શરીર મેળવવા માટે ચિંતિત હશો, તે પણ તૈયાર છે. હવે તે તમારી પસંદગી છે.
720920 - ભાષણ શ્રી.ભા. ૧.૩.૧૫ - લોસ એંજલિસ