GU/740705 ભાષણ - શ્રીલ પ્રભુપાદ શિકાગોમાં અમૃત બિંદુ બોલે છે

GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"ગોવિંદ, કારણકે તેઓ આ બ્રહ્માણ્ડમાં પ્રવેશ કરે છે, તેથી સૃષ્ટિનું સર્જન શક્ય બને છે. નહિતો તે શક્ય નથી. જેમ કે હું આત્મા છું, તમે આત્મા છો. કારણકે તમે આ શરીરમાં પ્રવેશ્યા છો અથવા હું આ શરીરમાં પ્રવેશ્યો છું, તેથી શરીરનું હલનચલન શકય છે. જેવુ હું અથવા તમે આ શરીરને છોડી દઈએ છીએ, તે મૃત છે, કોઈ હલનચલન નહીં. તે સમજવું બહુ સરળ છે. તેવી જ રીતે, સૃષ્ટિની હલનચલન કેવી રીતે થઈ રહે છે, કહેવાતા વૈજ્ઞાનિક, તત્વજ્ઞાની, ધૂર્તો, તેઓ જાણતા નથી, કારણકે કૃષ્ણ પ્રવેશ્યા છે. તે સમજવું બહુ જ સરળ છે. હું કૃષ્ણનો અંશ છું, બહુ જ સૂક્ષ્મ અંશ. છતાં, કારણકે હું આ શરીરમાં પ્રવેશ્યો છું, તેથી શરીર હલનચલન કરી રહ્યું છે, શારીરિક કાર્યો ચાલી રહ્યા છે. શું તે સમજવું બહુ મુશ્કેલ છે? તો, કોઈ પણ વ્યક્તિ સમજી શકે કે પદાર્થનો આ ગઠ્ઠો, મોટી સૃષ્ટિ, જ્યાં સુધી મારા જેવી વસ્તુ, આત્મા, હોતી નથી, કેવી રીતે તે સરસ રીતે કામ કરી રહ્યું છે."
740705 - ભાષણ શ્રી.ભા. ૧.૮.૧૯ - શિકાગો