GU/750203 સવારની લટાર - શ્રીલ પ્રભુપાદ હોનોલુલુમાં અમૃત બિંદુ બોલે છે

GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
ભક્ત (૧): ભગવદ ગીતા, તે પ્રકૃતે: ક્રિયમાણાની...


પ્રભુપાદ: ... ગુણે: કર્માણી સર્વશ: (ભ.ગી. ૩.૨૭). હા, અને પ્રકૃતિ કૃષ્ણના નિર્દેશન હેઠળ કાર્ય કરે છે. તેનો મતલબ... પ્રકૃતિના નિયમો મતલબ કૃષ્ણના નિયમો અથવા કૃષ્ણની યોજના. તો કૃષ્ણની યોજના શું છે? કૃષ્ણ શું ઈચ્છે છે?

યશોદાનંદન: કૃષ્ણ ઈચ્છે છે કે દરેક જીવ પાછો ભગવદ ધામ આવે.

પ્રભુપાદ: આભાર. આ યોજના છે. જો આ યોજનાનું પાલન ના થાય, તો પીડા છે. તો આ મનુષ્ય જીવન જીવને આ યોજના સમજવા માટે આપવામાં આવ્યું છે અને જરૂરી કાર્ય કરવા માટે. જો તે લોકો સમજે નહીં, તો તેમને દંડ મળશે.

750203 - સવારની લટાર - હોનોલુલુ