GU/750805 ભાષણ - શ્રીલ પ્રભુપાદ ડેટ્રોઇટમાં અમૃત બિંદુ બોલે છે

GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"આ ગુહ્ય વિજ્ઞાન, કે તમારે તમારી જીભના નિયંત્રણ દ્વારા તમારી મુક્તિના માર્ગને ખુલ્લો કરવો પડે. તો બીજી વસ્તુઓ નિયંત્રિત થશે, સીધી રેખા: જીભ, પછી પેટ, પછી જનનેંદ્રિય. તેથી આપણા સમાજમાં આપણે જીભને નિયંત્રિત કરેલી છે: 'માંસ ના ખાઓ, નશો ના કરો'. અને પછી, સીધી રેખા: 'જનનેંદ્રિયનો બેફામ ઉપયોગ નહીં, વ્યભિચાર નહીં'. આ વસ્તુઓની જરૂર છે જો તમે આ ભૌતિક બંધનમાથી મુક્ત થવા માંગતા હોવ તો. આને તપસ્યા કહેવાય છે. મનુષ્ય જીવન તપસ્યા માટે છે, બિલાડીઓ અને કુતરાઓ અને ભૂંડોની જેમ રહેવા માટે નહીં. તે મનુષ્ય જીવન નથી."
750805 - ભાષણ શ્રી.ભા. ૬.૧.૫૨ - ડેટ્રોઇટ