GU/670123 ભાષણ - શ્રીલ પ્રભુપાદ સાન ફ્રાન્સિસ્કો માં અમૃત બિંદુ બોલે છે

GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"ભગવદ્દ-ગીતામાં ભગવાન કહે છે, "મારાથી વધારે શ્રેષ્ઠ બીજું કશું નથી." તેથી ભગવદ્ ગીતાના આ નિવેદનની આ શ્લોક દ્વારા શ્રીમદ્-ભાગવતમમાં પણ પુષ્ટિ થઈ છે. આનંદ -માત્રમ. કૃષ્ણ, પરમ ભગવાન, ના દિવ્ય શરીરમાં, ફક્ત આનંદમ, આનંદ છે. આપણે એ નોંધવું જોઇએ કે આ શરીર, આપણું ભૌતિક શરીર, નિરાનંદમ છે, તે આનંદ વગરનું છે. આપણે આનંદ પ્રાપ્ત કરવા માટે આપણી સીમિત ઇન્દ્રિયોથી સમાયોજન કરવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ, પણ વાસ્તવમાં, કોઈ આનંદ છે જ નહીં. તે બધું જ કષ્ટપ્રદ છે. આ દુ:ખી શરીરની નિંદા કરવામાં આવી છે, મારો કહેવાનો અર્થ છે, વ્યવહારિક રૂપે, દરેક પ્રકરણ અને દરેક શ્લોકમાં."
670123 - ભાષણ ચૈ.ચ. મધ્ય ૨૫.૩૬-૪૦ - સાન ફ્રાન્સિસ્કો‎