GU/680202 ભાષણ - શ્રીલ પ્રભુપાદ લોસ એંજલિસ માં અમૃત બિંદુ બોલે છે

GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"તો ભગવદ્-સાક્ષાત્કાર ભૌતિક સમૃદ્ધિ પર આધારિત નથી. ભૌતિક સમૃદ્ધિ એટલે ઉચ્ચ કુટુંબમાં જન્મ લેવો, જન્મ. જન્મ એટલે ઉચ્ચ કુળ. પછી... જન્મૈશ્વર્ય, અને શ્રીમંત, પુષ્કળ ધન. આ ભૌતિક ઐશ્વર્યો છે: ઉચ્ચ કુળ, પુષ્કળ ધન અને ઉચ્ચ શિક્ષણ અને ભરપૂર સૌન્દર્ય. આ ચાર વસ્તુઓ ભૌતિક ઐશ્વર્યો છે. જન્મૈશ્વર્ય-શ્રુત-શ્રી (શ્રી.ભા. ૧.૮.૨૬). જન્મનો અર્થ છે જન્મ, ઐશ્વર્યનો અર્થ ધન છે, અને શ્રુતનો અર્થ શિક્ષણ છે અને શ્રીનો અર્થ સૌંદર્ય છે. તો ભગવદ્-સાક્ષાત્કાર માટે આ વસ્તુઓ આવશ્યક નથી, પરંતુ કૃષ્ણ ભાવનામૃત આંદોલન દરેક વસ્તુનો ઉપયોગ કરી શકે છે. તેથી કંઈપણ ઉપેક્ષિત નથી. તે બીજો મુદ્દો છે. પરંતુ જો કોઈ એવું વિચારે કે "મને આ બધા ઐશ્વર્યો મળ્યા છે; તેથી ભગવદ્-સાક્ષાત્કાર મારા માટે ખૂબ જ સરળ છે," ના, તેવું નથી."
680202 - ભાષણ ચૈ.ચ. મધ્ય ૦૬.૨૫૪ - લોસ એંજલિસ