GU/680629 ભાષણ - શ્રીલ પ્રભુપાદ મોંટરીયલ માં અમૃત બિંદુ બોલે છે

GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"ભક્તો કર્મ હેઠળ નથી. બ્રહ્મ-સંહિતામાં તે જણાવ્યું છે, કર્માણિ નિર્દહતિ કિન્તુ ચ ભક્તિ-ભાજામ (બ્ર.સં. ૫.૫૪). પ્રહલાદ મહારાજને તેમના પિતા દ્વારા ઘણી યાતનાઓ આપવામાં આવી હતી, પરંતુ તેમને અસર થઈ ન હતી. તેમને અસર થઈ ન હતી. ઉપરછલ્લી રીતે... જેમ કે ખ્રિસ્તી બાઇબલમાં પણ, કે પ્રભુ ઈશુ ખ્રિસ્તને ત્રાસ આપવામાં આવ્યો હતો, પરંતુ તેમને અસર થઈ ન હતી. સામાન્ય માણસ અને ભક્તો અથવા આધ્યાત્મવાદીઓ વચ્ચે આ અંતર છે. દેખીતી રીતે એવું લાગે છે કે કોઈ ભક્ત પર ત્રાસ આપવામાં આવી રહ્યો છે, પરંતુ તેને ત્રાસ થતો નથી."
680629 - ભાષણ અવતરણ - મોંટરીયલ