GU/690908b વાર્તાલાપ - શ્રીલ પ્રભુપાદ હેમ્બર્ગ માં અમૃત બિંદુ બોલે છે

GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"માયા છે. તેથી કૃષ્ણ કહે છે, 'માયા ખૂબ જ પ્રબળ છે.' પરંતુ જો તમે કૃષ્ણને ખૂબ જ મજબૂત રીતે પકડશો તો, માયા કાંઈ કરી શકશે નહીં. જો કોઈ વસ્તુ તમારા જપમાં વિઘ્ન ઉત્પન્ન કરે છે, તો તમારે વધુ જોરથી જાપ કરવો પડશે: હરે કૃષ્ણ, હરે કૃષ્ણ, કૃષ્ણ કૃષ્ણ, હરે હરે / હરે રામ, હરે રામ, રામ રામ, હરે હરે. તો તમે માયાને પરાજિત કરો છો. દવા એ જ છે. ઓછામાં ઓછું, હું આમ કરું છું. જ્યારે હું કોઈ સંકટમાં હોઉં છું, ત્યારે હું જોરથી હરે કૃષ્ણ જપ કરું છું: હરે કૃષ્ણ, હરે કૃષ્ણ, કૃષ્ણ કૃષ્ણ, હરે હરે / (હાસ્ય) હરે રામ, હરે રામ, રામ રામ, હરે હરે. બસ. ભક્તિવિનોદ ઠાકુર... એક ભજન છે: જાય સકલ બિપોદ ગય ભક્તિવિનોદ બોલે જાખોન ઓ-નામ ગાઈ (ગીતાવલી માંથી). તેઓ કહે છે, "જેવો હું આ હરે કૃષ્ણનો જપ કરું છું, તરત જ હું બધા જ સંકટોમાંથી મુક્ત થઈ જાઉં છું."
690908 - વાર્તાલાપ - હેમ્બર્ગ‎