GU/690914 ભાષણ - શ્રીલ પ્રભુપાદ લંડન માં અમૃત બિંદુ બોલે છે

GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"અવશ્ય, તેનો અર્થ એ નથી કે જે કોઈ પણ કૃષ્ણ અથવા કૃષ્ણના પ્રતિનિધિ પાસે આવે છે, તેણે તેની ભૂતકાળની પાપી પ્રવૃત્તિઓની બધી પ્રતિક્રિયા પૂરી કરી દીધી છે. તે શક્ય નથી. દરેક વ્યક્તિ તેના ભૂતકાળના પાપના પરિણામોથી ભરેલો છે... અહીં ભૌતિક વિશ્વમાં, તમે જે પણ કરો, તે ઓછે વત્તે અંશે બધું પાપ છે. તો તેથી, આપણું જીવન હંમેશા પાપી પ્રવૃત્તિઓથી ભરેલું છે. તો જ્યારે તમે કૃષ્ણને તેમના પારદર્શક માધ્યમ થકી સમર્પણ કરો છો, તો એવું નથી કે તરત જ તમારી પાપી પ્રવૃત્તિઓ બંધ થઈ જાય છે, પરંતુ કારણકે તમે સર્વોચ્ચની શરણાગતિ લીધી છે, તેઓ તમારી પાપી પ્રવૃત્તિઓને લઈ લે છે. તેઓ તમને મુક્ત કરે છે. પરંતુ તમારે સભાન હોવું જોઈએ કે "હવે હું ફરીથી પાપ નહીં કરું."
690914 - ભાષણ શ્રી.ભા. ૦૫.૦૫.૦૨ - લંડન