GU/720622 ભાષણ - શ્રીલ પ્રભુપાદ લોસ એંજલિસમાં અમૃત બિંદુ બોલે છે

GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"જેમ પથ્થર અને સ્ટીલ બહુ સરળતાથી ગળતું નથી, તેવી જ રીતે, જેનું હ્રદય હરે કૃષ્ણ મંત્રનો નિયમિત જપ કર્યા પછી બદલાતું નથી, તો તે સમજવું જોઈએ કે તે સ્ટીલનું છે, પથ્થર અથવા લોખંડનું બનેલું. વાસ્તવમાં, હરિ-નામ - હરેર નામ હરેર નામ હરેર નામૈવ કેવલમ (ચૈ.ચ. આદિ ૧૭.૨૧) - તે વિશેષ કરીને હ્રદયને સ્વચ્છ કરવા માટે છે. બધી જ ખોટી ધારણાઓ ફક્ત આપણા હ્રદયમાં જ છે, "હું આ શરીર છું" તે ખોટી ઓળખથી શરૂ કરીને. તે બધી જ ખોટી ધારણાઓની શરૂઆત છે."
720622 - ભાષણ - શ્રી.ભા. ૨.૩.૨૪ - લોસ એંજલિસ