GU/Prabhupada 0062 - ચોવીસ કલાક કૃષ્ણને જુઓ



Lecture on SB 1.8.18 -- Chicago, July 4, 1974

પ્રભુપાદ: આરાધિતો યદિ હરિસ તપસા: તતઃ કિમ. જો તમે કૃષ્ણની આરાધના કરી શક્યા છો, તો કોઈ વધારે તપસ્યાની જરૂર નથી... કારણ કે આત્મ-સાક્ષાત્કાર માટે કે ભગવાનને જાણવા માટે ઘણી બધી વિધિઓ, તપસ્યાઓ છે. કોઈક વાર આપણે જંગલમાં જઈએ, જંગલમાં જોવા માટે કે ભગવાન ક્યાં છે, ક્યાં... વિવિધ પ્રકારના વિધિ છે, પણ શાસ્ત્ર કહે છે કે જો વાસ્તવમાં તમે કૃષ્ણની આરાધના કરો છો, આરાધિતો યદિ હરીસ તપસા તતઃ કિમ, ત્યારે તમારે કઠોર તપસ્યા કરવાની કોઈ આવશ્યકતા નથી. અને નારાધીતો, નારાધીતો યદિ હરીસ તપસાહ તતઃ કિમ, અને અંતમાં કઠોર તપસ્યા કરવા પછી.., કઠોર તપસ્યા કર્યા પછી પણ, જો, જો તમે કૃષ્ણને જાણો નહીં, તો તેનો શું લાભ છે? તે વ્યર્થ છે. નારાધીતો યદિ હરીસ તપસાહ તતઃ કિમ, અંતર બહિર યદિ હરીસ તપસા તતઃ કિમ. તેવી જ રીતે, જો તમે કૃષ્ણને ચોવીસ કલાક અંદર અને બહાર જોઈ શકો, ત્યારે તે બધા તપસ્યાનું લક્ષ્ય છે.

તો અહી કૃષ્ણ ફરી કહે છે, કુંતી કહે છે, કે "જો કે કૃષ્ણ અંદર અને બહાર છે, કારણકે આપણી પાસે આંખો નથી તેમને જોવા માટે," અલક્ષ્યમ, "અદૃશ્ય." જેમ કે અહી કૃષ્ણ કુરુક્ષેત્રના યુદ્ધસ્થળ પર ઉપસ્થિત હતા, માત્ર પાંચ પાંડવો, અને તેમની માતા કુંતી, તેઓ સમજી શક્યા હતા કે કૃષ્ણ પૂર્ણ પુરષોત્તમ ભગવાન છે. અને થોડા બીજા લોકો. તો જો કે કૃષ્ણ ઉપસ્થિત હતા, કોઈએ તેમને સાધારણ માણસની જેમ સમજ્યા. અવજાનંતી મામ મૂઢા માનુષીમ તનુમ આશ્રીતમ. કારણકે તેઓ માનવ સમાજ પ્રતિ ખુબજ દયાળુ છે, તેઓ સ્વયમ અવતરિત થયા. છતાં, કારણ કે તેમની પાસે ભગવાનને જોવા માટે કોઈ આંખો ન હતી, તેઓ જોઈ ન શક્યા. તેથી કુંતી કહે છે, અલક્ષ્યમ, "તમે અદૃશ્ય છો, જો કે તમે અંતર બહિ:, સર્વ ભુતાનામ." એવું નથી માત્ર ભક્તનાં જ અંતર-બહિ: - દરેકના. બધાના હ્રદયમાં કૃષ્ણ સ્થિત છે, ઈશ્વર: સર્વ ભૂતાનામ હ્રદેષુ. એમ બતાવે છે, હ્રદેષુ, કે અહી હ્રદયમાં, કૃષ્ણ છે. હવે, તેથી, ધ્યાન, યોગ પદ્ધતિ છે કે કેવી રીતે કૃષ્ણને હ્રદયમાં શોધવા. તેને ધ્યાન કેહવાય છે.

તો કૃષ્ણની સ્થિતિ હમેશા દિવ્ય છે. જો આપણે આ દિવ્ય પદ્ધતિ, કૃષ્ણ ભાવનામૃતનો સ્વીકાર કરીશું, નિયમોનું, અને પાપમય જીવનથી મુક્ત થવાનો પ્રયત્ન કરીશું. કારણકે જ્યારે તમે બધા પાપમય કાર્ય કરો છો, તમે કૃષ્ણને જોઈ નથી શકતા, કે કૃષ્ણને સમજી નથી શકતા. ત્યારે તે શક્ય નથી. ન મામ દુષ્કૃતિનો મૂઢા પ્રપદ્યન્તે નરાધમા: જે લોકો દુષ્કૃતિ છે... કૃતિ એટલે કે કૃતિ એટલે કે યોગ્યતા, લાયકાત; પણ દુષ્કૃતિ, તે યોગ્યતા પાપમય કાર્યો માટે ઉપયોગ કરવામાં આવે છે. તો, તેથી અમે વિનંતી કરીએ છીએ કે... અમે વિનંતી નથી કરતા, એટલે કે, આ અમારા નિયમો છે, કે વ્યક્તિએ પાપમય કાર્યથી મુક્ત થવું જ પડે. પાપમય કાર્ય, પાપમય જીવનના ચાર સ્તંભ,અવૈધ યૌન સંબંધ, માંસાહાર, નશો અને જુગાર. તો અમારા વિદ્યાર્થિઓને સલાહ આપવામાં આવે છે, સલાહ નહીં, તેમણે પાલન કરવું જ પડશે, નહીતો તેમનું પતન થશે. કારણકે એક પાપી માણસ ભગવાનને સમજી નથી શકતો. એક બાજુ આપણે બધા નિયમોનું પાલન કરવું જોઈએ અને ભક્તિ માર્ગ, બીજી બાજુ આપણે પાપમય કાર્યથી બચવું જોઈએ, ત્યારે કૃષ્ણ ઉપસ્થિત છે, અને તમે કૃષ્ણ સાથે વાત કરી શકો છો, અને કૃષ્ણ સાથે રહી શકો છો. કૃષ્ણ એટલા દયાળુ છે, જેમ કે કુંતી કૃષ્ણ સાથે તેમના ભત્રીજાની જેમ વાતો કરે છે, તેવી જ રીતે તમે પણ કૃષ્ણ સાથે તમારા પુત્ર, તમારા પતિની જેમ વાત કરી શકો છો, તમારા પ્રેમીની જેમ, તમારા મિત્રની જેમ, તમારા સ્વામીની જેમ, જેમ તમે ઈચ્છો.

તો હું ખુબજ પ્રસન્ન છું, આ શિકાગો મંદિરને જોઇને, તમે ખુબજ સારી રીતે કરી રહ્યા છો, અને સભાખંડ પણ બહુ સરસ છે. તો આ તમારા સેવાભાવથી આગળ વધો અને કૃષ્ણનો સાક્ષાત્કાર કરો. ત્યારે તમારું જીવન સફળ થશે.

આપનો ખૂબ ખૂબ આભાર.

ભક્તો: જય! હરિબોલ!