GU/Prabhupada 0730 - સિદ્ધાંત બોલીયે ચિત્તે - કૃષ્ણને સમજવામાં આળસુ ના બનો



Lecture on SB 7.9.32 -- Mayapur, March 10, 1976

પ્રભુપાદ: ભગવાન હમેશા સારા છે. પણ આપણી ગણતરી, સીમિત ગણતરી, અનુસાર, જો આપણે જોઈએ કે તેઓ કોઈ પાપ કરી રહ્યા છે, તે પાપ નથી; તે જંતુરહિત બનાવી રહ્યા છે. તે જ ઉદાહરણ: તેજીયશામ ન દોષાય (શ્રી.ભા. ૧૦.૩૩.૨૯) જો તેમના પવિત્ર નામનો જપ કરીને આપણે પાપરહિત બની જઈએ છીએ, કેવી રીતે ભગવાન પાપી હોઈ શકે? તે શક્ય નથી. તે સામાન્ય બુદ્ધિ છે. જો તેમના પવિત્ર નામ, હરે કૃષ્ણ, હરે કૃષ્ણ, નો જપ કરવાથી...

ભક્તો: કૃષ્ણ કૃષ્ણ, હરે હરે/ હરે રામ, હરે રામ, રામ રામ, હરે હરે.

પ્રભુપાદ: .... તો જો આપણે શુદ્ધ બનીએ છીએ, કેવી રીતે કૃષ્ણ અશુદ્ધ હોઈ શકે? તે શક્ય નથી. પવિત્રમ પરમમ ભવાન (ભ.ગી. ૧૦.૧૨-૧૩) કૃષ્ણને સમજવાનો પ્રયત્ન કરો.

અહી સમજૂતી છે, કે સ્થિતો ન તુ તમો ન ગુણાંશ ચ યુંક્ષે (શ્રી.ભા. ૭.૯.૩૨). આ કૃષ્ણ છે. આ વિષ્ણુ છે, કૃષ્ણ. એવું ક્યારેય ના વિચારો... ઘણા દળો છે, તેઓ કહે છે, "અમે કૃષ્ણની પૂજા કરીએ છીએ, બાલકૃષ્ણ." ક્યારેક તે લોકો કારણ આપે છે... કેમ નહીં, મારા કહેવાનો મતલબ, યુવાન કૃષ્ણ? તેઓ કહે છે કે "યુવાન કૃષ્ણ રાસલીલાથી દૂષિત હતા." જરા મૂર્ખનો બકવાસ જુઓ! તે નથી... કૃષ્ણ હમેશા કૃષ્ણ છે. આ મૂર્ખ નિષ્કર્ષ, કે બાળક કૃષ્ણ યુવાન કૃષ્ણ કરતાં વધુ શુદ્ધ છે. તે ખોટી કલ્પના છે. કૃષ્ણ છે... જેમ કે કૃષ્ણ, જ્યારે તેઓ ત્રણ મહિનાના હતા, તેઓ એક મોટી રાક્ષસણી, તે પૂતના, ને મારી શક્યા. શું એક ત્રણ મહિનાનો બાળક આવી મોટી રાક્ષસણીને મારી શકે...? ના. કૃષ્ણ હમેશા ભગવાન છે. ભલે તો તેઓ ત્રણ મહિનાના હોય કે ત્રણસો વર્ષના હોય કે ત્રણ હજાર વર્ષોના હોય, તેઓ તે જ છે. અદ્વૈતમ અચ્યુતમ અનાદિમ અનંત રુપમ આદ્યમ પુરાણ પુરુષમ નવ યૌવનમ ચ (બ્ર.સં. ૫.૩૩). આ કૃષ્ણ છે.

તો કૃષ્ણનો અભ્યાસ કરવાથી, તમે મુક્ત બનો છો. તો આ શ્લોકોનો ખૂબ જ ધ્યાનથી અભ્યાસ કરવો જોઈએ, દરેક શબ્દને ધ્યાનપૂર્વક સમજીને. તો તમે કૃષ્ણને સમજશો. કવિરાજ ગોસ્વામીએ કહ્યું છે, સિદ્ધાંત બોલિયા ચિત્તે ના કર આલસ, ઈહા હઇતે કૃષ્ણ લાગે સુદ્રઢ માનસ. સિદ્ધાંત, કૃષ્ણ શું છે, જો તમે શાસ્ત્રોમાથી અભ્યાસ કરો, તો સિદ્ધાંત બોલિયા ચિત્તે... કૃષ્ણને સમજવામાં આળસુ ના બનો, કારણકે જો તમે કૃષ્ણને સમજવાનો પ્રયત્ન કરશો - સાધુ શાસ્ત્ર ગુરુ વાકયમ ચિત્તેતે કરીય ઐક્ય, સાધુ, શાસ્ત્ર અને ગુરુ દ્વારા તો તમે કૃષ્ણને સમજશો કે તેઓ શું છે. પછી તમે તેમને મૂર્ખ વ્યક્તિની જેમ એક સાધારણ મનુષ્ય તરીકે નહીં લો. અવજાનંતિ મામ મૂઢા માનુષીમ તનુમ આશ્રિત: (ભ.ગી. ૯.૧૧). મૂઢા, ધૂર્તો, તેઓ કૃષ્ણને આપણામાંના એક સમજે છે. પછી તમે મૂઢ નહીં રહો. તમે બુદ્ધિશાળી થશો. અને તેની અસર શું છે? કૃષ્ણ વ્યક્તિગત રીતે કહે છે, જન્મ કર્મ ચ દિવ્યમ મે યો જાનાતી તત્ત્વત: (ભ.ગી. ૪.૯). જો તમે કૃષ્ણને પૂર્ણ રીતે સમજશો... અવશ્ય, આપણે કૃષ્ણને પૂર્ણ રીતે સમજી ના શકીએ. તેઓ એટલા મહાન છે અને આપણે એટલા સૂક્ષ્મ છીએ કે તે અશક્ય છે. તે શક્ય નથી. પણ જો તમે કૃષ્ણને જેટલું તેઓ ભગવદ ગીતામાં સમજાવે છે તેટલું પણ સમજશો. તેટલું તમને મદદ કરશે. તમે કૃષ્ણને સમજી ના શકો. તે શક્ય નથી. કૃષ્ણ પણ પોતાને સમજી નથી શકતા. તેથી તેઓ ચૈતન્ય તરીકે અવતરિત થાય છે, પોતાને સમજવા.

તો કૃષ્ણને સમજવા શક્ય નથી, પણ કૃષ્ણ આપી રહ્યા છે, જ્ઞાન પોતાના વિશે, જ્યાં સુધી આપણે સમજી શકીએ. તે ભગવદ ગીતા છે. તો ઓછામાં ઓછું ભગવદ ગીતાની શિક્ષા પ્રમાણે કૃષ્ણને સમજવાનો પ્રયત્ન કરો... ચૈતન્ય મહાપ્રભુએ ભલામણ કરેલી છે, યારે દેખ તારે કહ કૃષ્ણ ઉપદેશ (ચૈ.ચ. મધ્ય ૭.૧૨૮). મનુષ્ય જીવન કૃષ્ણને સમજવા માટે છે. બીજું કોઈ કાર્ય નથી. જો તમે ફક્ત આ કાર્યને વળગેલા રહેશો, તો તમારું જીવન સફળ છે. આપણું કૃષ્ણ ભાવનામૃત આંદોલન તે ઉદેશ્ય માટે છે. આપણે ઘણા બધા કેન્દ્રો ખોલી રહ્યા છીએ જેથી દુનિયાના લોકો આવે આ તકનો લાભ લે અને કૃષ્ણને સમજે અને તેમના જીવનને સફળ બનાવે.

આપનો ખૂબ ખૂબ આભાર.

ભક્તો: જય! (અંત)